बुधवार, 27 मई 2020

Love 🌿🍃

તેઓ નેચર પ્રેમી છે કે ખાલી મોજમજા ને મસ્તી કરવા નીકળ્યા છે!?



ગુજરાતનાં ફેફસાં મતલબ દક્ષિણ ગુજરાતનાં જંગલો!!!

2016માં કોષમાળ ટ્રેકીંગના અડધે રસ્તેથી પાછા આવ્યા.
પ્રતિક્ષાએ આ સ્થળ વિષે પુરી માહીતી મેળવી હતી અને રવિવારે ટ્રેકીંગ પર જવાનું નકકી કર્યુ હતું.

ચોમાસું ચાલું થાય એટલે તમને ડાંગના રસ્તે વાહનો દ્રારા કચડાયેલા સાપો રસ્તે નજરે પડે જ. એવો જ એક કોબરા આખા રસ્તા પર પથરાઇને ચાલતો જોવા મળ્યો ત્યારે તેની ખરેખર લંબાઈ વિષે ખ્યાલ આવ્યો.

કોષમાળ ભેંસકાત્રીથી વઘઈની વચ્ચે છેક અંદરનું એક સ્પોટ છે જયાથી એક નાનો ધોધ વહે છે. કોષમાળ સ્થળ વિષે પુછતા પુછતા જ લગભગ દશ સ્થળે ઉભું રહેવું પડ્યું. ડાંગમાં સ્થળ વિષે પુછવું એટલે ઘણું કપરું કામ કારણ કે ડાંગમાં તમને ૧૦ થી ૧૫ કીમી એ જ તમને અમુક લોકો નજરે ચડે જયારે સ્થળની નજીક કોઈ માણસ મળે નહી.

છેક વાંસદાથી વઘઈ અને વઘઈથી કોષમાળ શોધતા ઘણો સમય લાગ્યો. પહેલા એવુ હતુ કે નજીક જ હશે પરંતુ જેમ જેમ વઘઈના રસ્તે થી ભેંસકાત્રી તરફ આગળ વધી રહ્યા હતા તેમ ગીચ જંગલો વધી રહ્યા હતા અને સમય પણ ખાસ્સો થઈ ગયો હતો. પર્વત પર ખુબ જ ઉંચું સર્પાકાર ચડાણ અને કોઈ લોકોની અવરજવર પણ નહી.


કોષમાળ પહોચીને જોયું તો અમુક ઘર આવ્યા. ત્યા પુછ્યું કે ટ્રેકીંગનો રસ્તો કંઈ તરફ છે, ત્યારે ગામ લોકોનો જવાબ હતો સવારે વહેલા આવ્યા હોત તો સારુ હતું હવે બપોર થવા આવ્યું છે અને તમને કદાચ મોડું થાય તો સાંજ થઈ જશે.

ગામના લોકોનું કહેવું હતું કે આ વિસ્તારમાં દીપડા પણ છે એટલે સંભાળી ને જશો તો સારુ રહેશે. ત્યારે અનન્યા ફકત બે જ વર્ષની એટલે અમે વિમાસણમાં પડ્યા અને અમે અંતે પાછા ફરવાનું નકકી કર્યું.

હાલમાં ચોમાસાના સમય દરમ્યાન ડાંગમાં ટ્રેકિંગ પર સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ અને નેચર પ્રેમી લોકોનો જમાવડો વિશેષ જોવા મળે છે પરંતુ તેઓ આ જંગલોની માવજત વિષે સભાન નથી.

મોટા ભાગના ટ્રેકીંગના સ્થળો પર તમને પ્લાસ્ટિકની ડીસ, ગ્લાસનો ઢગલો અચુક જોવા મળે જેનાથી આપણે અંદાજો લગાવી શકીએ કે તેઓ નેચર પ્રેમી છે કે મોજમજા ને મસ્તી કરવા નીકળ્યા છે.

Education in corona 😏

જાણો કોરોના અને લોકડાઉન વચ્ચે શિક્ષણની શું સ્થિતિ છે…



લગભગ અઢી મહિનાથી કોરોનાને પગલે દેશભરની શાળાઓ બંધ છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે ભારતમાં 30 કરોડથી વધુ બાળકો શાળાથી વંચિત થયા. બાળકોનું શિક્ષણ ના બગડે એટલે ઓનલાઇન શિક્ષણની વાત વહેતી થઈ અને એ દિશામાં પ્રયત્નો પણ થયા.આવનારા દિવસોમાં શાળાઓ ક્યારે ખુલશે અને સામાજિક અંતર રાખીને કેવી રીતે ભણાવાશે એ વિશે મતમતાંતરો છે. સમસ્યા પણ મોટી છે.
આ વાસ્તવિકતા વચ્ચે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતમાં કેટલા બાળકો અને કેવી રીતે ઓનલાઈન શિક્ષણ મેળવવા સક્ષમ છે. નેશનલ સેમ્પલ સર્વેના છેલ્લા સર્વે પ્રમાણે ભારતમાં માત્ર બે જ રાજ્યો એવા છે જ્યાં કમસેકમ 40 ટકા ગ્રામીણ પરિવારો પાસે ઇન્ટરનેટની સુવિધા છે.આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ(48.6%) અને કેરળ(46.9%) નો સમાવેશ થાય છે (જુઓ નકશો).

ઝારખંડ જેવા આદિવાસી કેન્દ્રિત રાજ્યમાં માત્ર 11 ટકા પરિવારો એવા છે જ્યાં કોઈ સભ્ય કોમ્પ્યુટર લિટરેટ છે. આપણા ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે નેટથી સંપર્ક એટલો સહેલો નથી જેટલો અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે.
કોમ્પ્યુટર વંચિત કે નેટ વંચિત ગ્રામીણ બાળકોની સમસ્યા કરતા પણ અનેકગણી મોટી સમસ્યા શિક્ષણના સ્તરની છે. વર્ષ 2018માં પ્રથમ સંસ્થા દ્વારા કરાયેલ અભ્યાસ પ્રમાણે ગ્રામીણ ભારતના પાંચમા ધોરણમાં ભણતા માત્ર 50 ટકા બાળકો બીજા ધોરણનનું પુસ્તક વાંચી શકે છે. માત્ર 28 ટકા બાળકો ભાગાકાર કરી શકે છે.ગંભીર સમસ્યા તો અધવચ શાળા છોડનાર વિદ્યાર્થીઓની છે. ગરીબાઈ ,મજૂરી, બાળલગ્ન જેવી સમસ્યા માત્ર ગ્રામીણ ભારતમાં જ નહીં શહેરોમાં પણ છે.
લાખોની સંખ્યામાં સ્થરાંતરીત શ્રમિકો જેમાના અનેક તેઓના શાળામાં ભણતા બાળકોને લઇ વતન પહોંચી ગયા તેઓના શિક્ષણ વિશે વિચારવું રહ્યું. શાળા બંધ છે તો ઓનલાઈન શિક્ષણ હાથવગું છે એવો ત્વરિત વિચાર આવે પણ તેનો અમલ દેશના તમામ બાળકો માટે કરવો અશક્ય છે. આ વાસ્તવિકતાને એટલા માટે ધ્યાનમાં રાખવી પડે કારણકે કોરોના મહામારીની વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ ઘણી ગંભીર છે.

(તસ્વીર અને નકશો તેમજ કેટલીક માહિતી સાભાર “મિન્ટ” અખબાર)

Ravi Barot🇮🇳🙏

मंगलवार, 26 मई 2020

Indian politics🇮🇳




રાજનીતિ | શું સરકારનો વિરોધ કરવો એ આતંકવાદી કૃત્ય ગણાય? |- રમેશ સવાણી (પૂર્વ IPS)


વાંચીએ ત્યારે થાય કે કાયદો સૌ માટે સમાન છે; દરેક નાગરિકને ન્યાય મળી શકે તેમ છે; પરંતુ વાસ્તવમાં કાયદો જ્યારે જાતિ/જ્ઞાતિ/ધર્મના આધારે અમલી બને કે સામાજિક/આર્થિક/રાજકીય ભેદભાવ મુજબ અમલી બને ત્યારે વિક્ટિમને મોટો અન્યાય સહન કરવો પડે છે. કોઈ ના

ગરિકને કોઈ ગુંડો જાનથી મારી નાંખવાની ધમકી આપે તો IPC કલમ- 506(2) હેઠળ કાયદો સુરક્ષા પૂરી પાડે છે; પરંતુ વાસ્તવમાં એવું જોવા મળે છે કે ગુંડો/અસામાજિક તત્વ, શાંતિપ્રિય નાગરિક સામે ગુનો દાખલ કરાવે છે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ! આને કાયદાની જોગવાઈનો દુરુપયોગ કહેવાય. આવો દુરુપયોગ કરનાર સામે પગલાં લેવાતા નથી, એટલે દુરુપયોગનું પ્રમાણ વધતું રહે છે. કાયદાનો દુરુપયોગ ખુદ સરકાર કરે તો? નાવિક જો નાવ ડૂબાડે તો એને કોણ બચાવે?

ગુજરાતનો દાખલો લઈએ. પત્રકાર ધવલ પટેલે કહ્યું કે ગુજરાતમાં કોરોના સંકટ ગંભીર બની રહ્યું છે; તેથી CMની બદલી થઈ શકે તેવું હવામાન છે ! આમાં પોલીસને રાજદ્રોહ દેખાયો ! કાયદાનો આ દુરુપયોગ કહેવાય. ફેબ્રુઆરી- 2020માં દિલ્હીમાં કોમી તોફાનો થયા; તેમાં દિલ્હી પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સફૂરા જરગરને 13 એપ્રિલ, 2020ના રોજ એરેસ્ટ કરી ત્યારે એ ગર્ભવતી હતી. તેનો ગુનો એ હતો કે તેણે CAA વિરોધી પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેની પાસેથી કોઈ હથિયારો/બોમ્બ મળ્યા ન હતા. તેને કોર્ટે જામીન ઉપર છોડવા ઈન્કાર કરી દીધો. તેની સામે આતંકવાદ વિરોધી એક્ટ-Unlawful Activities (Prevention) Act, UAPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. સરકારની કોઈ નીતિનો વિરોધ કરવો તેને આતંકવાદ કઇ રીતે કહી શકાય? કાયદાનો દુરુપયોગ ખુદ સરકાર કરે તો એને કોણ રોકે? પાણી જો આગ લગાડે તો એને કોણ ઠારે? બીજી તરફ, મનીષ સિરોહીને ગેરકાયદેસર 5 પિસ્તોલ અને 20 કારતૂસ સાથે દિલ્હી પોલીસે 27 ફેબ્રુઆરી, 2020ના રોજ કોમી તોફાનો દરમિયાન અટક કર્યો. તે બે વરસથી હથિયાર/કારતૂસ મધ્યપ્રદેશથી ખરીદીને દિલ્હી લાવતો હતો. દિલ્હી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો; આતંકવાદ વિરોધી એક્ટ હેઠળ નહીં. કોરોના વાયરસના સંક્રમણના કારણે કોર્ટે 6 મે, 2020ના રોજ મનીષને જામીન ઉપર મુક્ત કર્યો. સફૂરાને નહી. સફૂરા અને મનીષ; એક મુસ્લિમ અને એક હિન્દુ. પોલીસનો ભેદભાવ દેખાઈ આવે છે. પોલીસ રાજકીય દ્રષ્ટિકોણથી કામ કરે છે. કોમી તોફાનોના પાયામાં રહેલ; સત્તાપક્ષના નેતાઓના ભડકાઉં ભાષણો સામે દિલ્હી પોલીસે આંખ/કાન/મોં બંધ રાખ્યા છે; અને CAA વિરોધી કાર્યકર્તાઓને ટાર્ગેટ કર્યા છે !


પોલીસે મનીષને કોમી તોફાન દરમિયાન પકડ્યો હતો; તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો મળ્યા હતા; પરંતુ તેની સામે પોલીસે માત્ર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. જ્યારે કોમી તોફાનો બાદ બે મહિના પછી સફૂરા અને બીજા વિદ્યાર્થીઓને UAPA હેઠળ એરેસ્ટ કરવામાં આવ્યાં. મનીષ પાસેથી હથિયારો મળે છે છતાં તેની સામે આતંકવાદનો આરોપ મૂકાતો નથી; તો બીજાઓ ઉપર UAPA હેઠળ આરોપ મૂકવાનો કોઈ આધાર ખરો? એવું કંઈ રીતે શક્ય બને કે કોમી તોફાનો દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે પકડાઈ જનારની જામીન અરજી સામે કોઈ વાંધો લેવામાં ન આવે, જ્યારે બીજા આરોપીઓ પાસેથી પોલીસે કંઈ કબજે કરેલ ન હતું; છતાં તેઓ જેલના સળિયા પાછળ આજે પણ છે ! કાયદો ભેદભાવ કરતો નથી; અમલવારીમાં ભેદભાવ છે ! સત્તાપક્ષને UAPA કેમ વહાલો લાગે છે? કેમકે સરકારનો વિરોધ કરનારાઓને ચાર્જશીટ વિના લાંબા સમય સુધી જેલમાં પૂરી શકાય છે ! ભારતમાં આતંકવાદ વિરોધી કાયદાઓનો ડંડો મોટાભાગે હાંસિયામાં ઊભેલા સમુદાયો ઉપર ચાલે છે; એમાંય ખાસ કરીને લઘુમતીઓ ઉપર. તમે નહી માનો; પંજાબ/જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા ઉપર હતો; પરંતુ ગુજરાતમાં Terrorist and Disruptive Activities (Prevention) Act-1985 (TADA) નો સૌથી વધુ ઉપયોગ થયો હતો ! ‘આતંકની ઘટનાને અંજામ આપવાનો ઇરાદો હતો’ એમ કહીને પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દે; તો સફૂરાની જેમ તમારે પણ જેલમાં જ રહેવું પડે એ નક્કી છે.

હવે પ્રશ્ન એ છે કે સરકારનો વિરોધ કરવો તે આતંકવાદી કૃત્ય કહેવાય?

સ્ત્રી શકિતશાળી




લોકડાઉન | મ્હારી છોરી છોરોં સે કમ હૈ કે?


નારી | ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓનું મહત્વ કેટલું?

“કેથરિન મેયો” ની “મધર ઈન્ડિયા” પુસ્તકમાં વર્ણવેલી સ્ત્રીની વેદના અને મારા સ્વઅનુભવ

જન્મ થાય ત્યારથી જ સ્ત્રીના જીવનમાં સંઘર્ષની શરૂઆત થઇ જાય છે. સ્ત્રી સાથે તેના જન્મતાં જ ભેદભાવ ચાલુ થઇ જાય છે. કારણ કે, ભારતીય સમાજ વ્યવસ્થા પિતૃસત્તાક પાયા પર ઉભી કરવામાં આવી છે, એટલે દરેક માં ને દીકરો જોઈએ છે, નહી કે દીકરી.

સ્ત્રીઓની ઈચ્છા, સપના, લાગણી, પ્રેમ, એને સમજવા વાળું કોણ? કહેવાય છે કે એક સ્ત્રીના મનની વાત બીજી સ્ત્રી સમજી શકે છે. છતાં પણ મનમાં જે વ્યથા, દુઃખ, પીડા, ઈચ્છા એ તો જેને હોય એ પોતે જ સમજે છે. સ્ત્રીની પીડા બીજા ક્યારેય સમજી શકતા નથી. સ્ત્રીનો જન્મ થાય ત્યારથી તેમને ભેદભાવ વચ્ચે, અભાવ વચ્ચે, પીડાઓ વચ્ચે જ જીવનની શરૂઆત કરવી પડે છે.

એક માં ક્યારેય એવુ ઇચ્છતી નથી કે તેના બાળકોમાં ભેદભાવ થાય પણ ભારતીય સમાજ વ્યવસ્થામાં દીકરાને જ વધુ મહત્વ આપવામાં આવે છે ત્યારે એક માંના હૃદયમાં કેટલું દુઃખ-પીડા થતી હશે. એ પણ એક સ્ત્રી છે. એણે પણ આ બધી પીડાઓ સહન કરી છે, મન ના હોવા છતાં એમણે પુત્ર મોહ રાખવો જ પડે છે.


વાત થાય છે સ્ત્રીની પીડાની, એ પછી કોઈ પણ જગ્યા હોય. પિતા નું ઘર કે સાસરિયું બધી જ જગ્યાએ એમને સમજવા વાળું કોણ? પિયરમાં વાત કરે તો માં-બાપને ચિંતા, આજુબાજુમાં વાત કરે તો સમાજમાં બધાની ઈજ્જત જતી રહે. એટલે પોતાના મનની પીડા મનમાં જ દબાવીને રાખતી હોય છે.

પહેલાંના સમયમાં જન્મ થાય ને ખબર પડે કે છોકરી છે તો દૂધ પીતી કરી દેતા, પછી ધીરે-ધીરે થોડો સુધારો થયો તો 5-7વર્ષની થાય એટલે તરત જ લગ્ન કરી દેતા. આજે પણ સાંપ્રત સમયમાં આ વ્યવસ્થામાં વધુ કંઈ સુધારો થયો નથી. માત્ર કહેવા ખાતર સભ્ય સમાજ છે. બાકી ઘરે -ઘરે આજે પરિસ્થિતિ એવી ને એવી જ છે.

ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રી માટે લગ્ન જીવન અને અપરિણીત જીવન, બન્ને દુઃખદાયી જ છે. જે આઝાદી એણે ભોગવવી જોઈએ જે આઝાદી એને ગમે છે, એ આઝાદી તે માણી શકતી નથી.

ભારતીય સમાજ વ્યવસ્થાએ સ્ત્રીને મૃત્યુ પછી પણ ડંખવાની છોડી નથી, ડાકણ-ચુડેલ કહીને માતૃદોષ કે પિતૃદોષના નામે મેણાં-ટોણા આપ્યા જ છે.


મારે એક દિકરી છે અને અમે નથી ચાહતા કે અમારી દીકરી આ સમાજ વ્યવસ્થા પ્રમાણે જીવન જીવે. અનન્યાને તમામ આઝાદી આપીને મુકત મને વિહરવા દઈને એની પ્રતિભા નિખરવા દેવા માટે અમે પતિ-પત્ની બન્ને કટીબધ્ધ છીએ.

હમણા, સૌરાષ્ટ્રમાં એક ગામમાં ખેતરે ખેતી કામે જઈ રહેલ સ્ત્રીની આબરૂ લુટવાના ઈરાદે તેની હત્યા કરવામાં આવી.

હું એમ કહું છું એ તમામ માં-બેન-દીકરીઓને કે તમે કયાં સુધી બીજાના ખેતરે બાજરો કાપવા કે કપાસ વિણવા જશો? મુકી દો આ દાડી મજુરી કરવાનું, શહેરોમાં આવો.
સુરતનાં ચૌટા બજાર કે અમદાવાદના ઢાલગરવાડમાં લારી કરો, કોસ્મેટિક ચીજવસ્તુઓ, રેડિમેડ ગાર્મેન્ટ વેચો, અમદાવાદ સુરતના શાકભાજીના બજારમાં શાકભાજી-ફળ વેચો. સ્ત્રીઓ, આવડત કેળવીને પગભર થાવ તો જ તમારી આઝાદીને આ પિતૃસત્તાક સમાજ સ્વીકારશે.

અહીયાં હું સ્ત્રીની આઝાદીના બે રીયલ લાઈફના કીસ્સા મુકીશ:

1) દક્ષિણ ગુજરાતના સુરતમાં એક લગ્ન પ્રસંગે અમે સહ પરિવાર ગયેલા ત્યારે લગ્નનાં આયોજકો દ્રારા બે વિભાગ પાડેલા એક સ્ત્રીઓનો અને બીજો પુરુષોનો વિભાગ.

અરવિંદે કહ્યું, ‘તને મજા પડશે’. સ્ત્રી વિભાગમાં ઘણી બધી લેડીઝના હાથમાં નારિયેળ પાણી જોયા તો મને અચરજ થયું, કે મોટાભાગની દરેક સ્ત્રી નારિયેળ પાણી પીતી હતી. મે બે મહીલા સાથે વાત કરી કે ક્યા મળશે નારિયેળ તો ઘણી મહીલા મારી સામે અચરજથી જોઈ રહી, જાણે મે કંઈ અજુગતું માંગી ના લીધું હોય.


મને કહ્યું કે તમારા હસબન્ડને પુછીને આવો, એટલે મેં અરવિંદને કહ્યું કે મારે નારિયેળ પાણી પીવું છે. અરવિંદે કહ્યું કે એમાં નારિયેળ પાણી નથી પણ અલગ અલગ પ્રકારના સોમરસ છે. અને આ લગ્ન પ્રસંગે આ તમામ મહીલાઓને આજે પુરી છુટ છે તેમના પતિ તરફથી.
હું અચંબિત થઈ પણ સાથે સાથે અનુભવ્યું પણ, કે ખરેખર પુરુષોએ આખરે સ્ત્રીને પોતાની સમકક્ષ તો રાખી.

2) લોકો જાણે જ છે કે, બધા દમણ કેમ જાય છે. અમે એ ઉદેશથી નથી જતા, કારણ કે મારા પતિને એ વ્યસન નથી. એકવાર દમણ જઈને દરિયાને નીહાળી રહ્યા હતા એટલામાં ચાર-પાંચ લેડીઝ આવી અને બીયરનું ટીન ખોલીને સુરતી ભાષામાં બબડવા લાગી કે, “ટો શું, આખું અઠવાડિયું મચ્છી છોલ્યા કરવાની? કાંક ટો શાંટી જોઈએને?”. હું તેમની સામે હસી; તો મને ઉદેશીને કહે, “ડીકરા દમણમાં ડર અઠવાડિયે આવીને આ મજા કરવાની”. હું તેમને જોઈ જ રહી.

શું “કેથરિન મેયો” એ પોતાની પુસ્તક “મધર ઈન્ડિયા” માં વર્ણવેલી આઝાદી, ઉપરના બન્ને કિસ્સામાં સાર્થક થાય છે?



Featured Post

कैप्सुला मुंडी

  इटली का अनोखा प्रोजेक्ट: 'कैप्सुला मुंडी' – मौत का नया हरा-भरा अंदाज़ क्या आप सोच सकते हैं कि मौत के बाद भी इंसान का हिस्सा प्रकृत...