रविवार, 22 मार्च 2020



સૌથી હિંસક વર્ષ હશે ૨૦૨૦! નોસ્ટ્રાડેમસે કરી છે આ ચોંકાવનારી ભવિષ્યવાણી

Articles


ફ્રાંસ ના એક જાણીતા ભવિષ્યવક્તા માઇકલ ડી નોસ્ટ્રાડેમસે દ્વારા આવનારા ઘણા વર્ષો માટે સદીઓ પહેલા જ અમુક ભવિષ્યવાણીઓ  કરી દીધી હતી. સમગ્ર વિશ્વ ના લોકો તેમની આ ભવિષ્યવાણીઓ પર અતુટ વિશ્વાસ પણ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમની હાલ સુધી ની તમામ ભવિષ્યવાણીઓ સાચી ઠરી છે. નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામા આવેલ સન ૨૦૨૦ માટે ની ભવિષ્યવાણી માનવીઓ માટે માઠા સમાચાર દર્શાવે છે. આ સિવાય ના બીજા ભવિષ્યવક્તાઓ પણ સન ૨૦૨૦ મા વિનાશ ના સંકેત દર્શાવે છે.



નોસ્ટ્રાડેમસ ની ભવિષ્યવાણી મુજબ સન ૨૦૨૦ મા સમગ્ર વિશ્વ ખત્મ થવા ના સંકેત પણ છુપાયેલા છે. તો ચાલો જાણીએ નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામા આવેલ સન ૨૦૨૦ ની ભવિષ્યવાણી વિષે. નોસ્ટ્રાડેમસ ના કહ્યા મુજબ સન ૨૦૨૦ મા એક નવીન યુગ ની સ્થાપના થશે. તેમણે અનુમાન લગાવ્યું હતું કે ૨૦૨૦ મા ઘણા દેશો વચ્ચે ઘર્ષણ વધશે. આ સાથે જ ૨૦૨૦ મા આખી સદી નું સૌથી મોટું આર્થિક સંકટ પણ આવશે. જો આંકડાઓ ની દ્રષ્ટીએ જોવા જઈએ તો ભારત થી લઇ ને સમગ્ર વિશ્વ ની અર્થવ્યવસ્થા હાલ કફોડી હાલત જેવી છે.



ચીન તેમજ અમેરિકા જેવી મહાસત્તા વચ્ચે વૈપારીક યુદ્ધ ના મંડાણ થઇ ચુક્યા છે. ભારત ની આર્થિક વૃદ્ધિ મા પણ ભારે પછડાટ આવી રહ્યો છે. જો કે ભવિષ્યવાણી મા એ પણ દર્શાવ્યું છે કે ૨૦૨૦ સુધી મા લોકો પહેલા કરતા વધુ જાગૃત થઈ ચુક્યા હશે તેમજ લોકો મા એક નવીન પ્રકાર નો આધ્યાત્મિક ઝુકાવ જોવા મા આવશે. તેમની ભવિષ્યવાણી મુજબ ત્રીજા વિશ્વ યુદ્ધ ના એંધાણ પણ સત્ય સાબિત થઈ શકે છે. સન ૨૦૨૦ મા અમેરિકા દ્વારા એશિયા મા વિશ્વ નુ સૌથી મોટું સૈન્ય અભ્યાસ પણ શરૂ કરવામા આવશે.



જો આ ભવિષ્યવાણી ને ભારત ની હાલ પરિસ્થિતિ સાથે સરખાવીએ તો સન ૨૦૨૦ મા વિશ્વ ના મોટા શહેરો મા ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થશે તેમજ લોકો રસ્તાઓ પર ઉતરશે અને હાલ હજુ નવા વર્ષ ની શરૂઆત અગાવ જ અહિયાં CAA તેમજ NRC જેવા નિયમો ના વિરોધ માટે લોકો રસ્તાઓ પર ઉતર્યા છે. આ માટે જ કદાચ નોસ્ટ્રાડેમસે ૨૦૨૦ ને એક ઘણું જ હિંસક વર્ષ ગણાવ્યું હશે. આ સાથે જ તેમની ભવિષ્યવાણી મુજબ ચાલુ વર્ષે દરમિયાન જ રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની હત્યા નો પ્રયત્ન થઈ શકે છે.



शनिवार, 21 मार्च 2020

About Corona -19 fear fact

*ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી વાંચજો  અને સાચવજો પ્લીઝ.*

• ઈટાલીની જનસંખ્યા માત્ર 6.5 (સાડા છ) કરોડ છે. ત્યાં દર એક કિલોમીટરમાં એવરેજ 205 લોકો રહે છે.

• માત્ર 35 દિવસ પહેલાં ઇટાલીમાં માત્ર 3 કેસ હતાં, આજે 41000 થી વધુ છે. 41 હજાર.

• માત્ર 30 દિવસ પહેલાં ઇટાલીમાં મૃત્યુઆંક 1 હતો, આજે 3400 થી વધુ છે.

*હવે આપણી વાત કરીએ,*

• ભારતમાં દર એક કિલોમીટરમાં એવરેજ 450થી વધુ લોકો રહે છે. (ઈટાલી 205)

• બોમ્બે જેવા શહેરમાં દર એક કિલોમીટરમાં લગભગ 13000 થી વધુ લોકો રહે છે. હા, તેર હજાર. (ઈટાલી 205)


*હવે રોગની ગંભીરતા સમજો.*

ઈટાલી અને આપણી સ્વાસ્થ્ય સેવાઓ વચ્ચેનો ફરક પણ જાણો. આપણી સ્વાસ્થ્ય અને અન્ય વ્યવસ્થાઓ રોગને *રોકવા* માટે કદાચ સક્ષમ હશે પણ સંખ્યા ભયજનક થાય તો નિવારવા માટે કદાચ ટુંકી પડશે. ગમે તેટલી મહેનત કરશે તો પણ એક લેવલથી ઉપર સરકાર પણ કશું નહીં કરી શકે.

વિચારો, ન કરે નારાયણને ઈટાલીની જેમ થયું તો કેટલા દવાખાનાઓ અને આઇસોલેશન સેન્ટરો ઉભા કરીશું ? એમાં કામ કરતો મેડિકલ સ્ટાફ પણ માણસ છે.

અત્યારે તો એક પકડાય છે એના પરિવાર સહિત તમામ લોકોને અલગ અલગ મુકી દેય છે અને 14 દિવસ ચેકીંગ થાય છે. જો આંકડો ભયજનક સ્થિતિએ પહોંચશે તો
કોણ કોને સંભાળશે ?
કોણ કોને સાચવશે ?
કોણ કોને હોસ્પિટલમાં લઈ જશે ?
કહેવું ન ગમે પણ રસ્તે રઝળતી લાશને કોઈ ઉંચકવા પણ ન આવે એવી સ્થિતિ સર્જાઈ શકે.

ડેંગ્યુ જેવા રોગમાં પણ હોસ્પિટલો ફૂલ થઈ જાય છે. ડેંગ્યુમાં તો જનરલ વૉર્ડમા એકસામટા દર્દીઓને પણ રાખી શકાય છે.

ઉપર આપેલાં તમામ આંકડાઓ અને વર્તમાન પરિસ્થિતિ વિશે એક મિનીટ આંખો બંધ રાખીને વિચારો. તમને ડરાવવા માટે નહીં, ચેતાવવા માટે માહિતી આપી છે.

બહુ દુઃખ છે કે હજુ થવું જોઈએ એટલા સાવચેત આપણે નથી થયાં, ગંભીરતા સમજો અને સ્વાસ્થ્ય વિભાગ તરફથી સમયે સમયે આવતાં આદેશોનું કડકાઈથી પાલન કરો. તમારું જીવન કિંમતી છે.
🙏🙏🙏🙏🙏







Safty solution for corona 19

"सेनेटाइजर"की विधि
तो विधि इस प्रकार है.....
1 लीटर स्प्रिट (कीमत 110 रुपए)
200 ml ग्लिसरीन (60 रुपए)
एक ढक्कन डिटोल का....
महक चाहिए तो आपका पसंदीदा कोई भी इत्र चल जाएगा....
पहले  स्प्रिट व ग्लिसरीन को मिलाइये....
फिर डिटोल मिला दीजिए...
फिर यदि महक चाहिए तो इत्र मिला दीजिए
आपका सेनिटाइजर तैयार हो जाएगा...
मात्र 200 रुपए के आस-पास आपका 1200 ml सेनिटाइजर तैयार हो जाएगा....
जबकि बाजार में 100 ml का  सेनिटाइजर 100 से 150 रुपए तक मे बिक रहा है.....


✔️हम लोग  "फिटकरी"से सेनेटाइजर बना सकते है...
1 लीटर पानी मे 100ग्राम "फिटकरी" डाल 1 ढक्कन "डिटोल",
गाड़ा करने के लिए "ग्लिसरीन"या "एलुविरा" मिलाकर भी "सेनिटाइजर"बना सकते है.....
घर पर तैयार कर महँगाई व कालाबाजारी करने वालो को मात दीजिए....।।

Corona -19

શું ઉનાળામાં વાયરસ ખતમ થઈ જશે ? આ વાયરસ કેટલો સમય બીજી કોઈ સપાટી પર રહી શકે ?
****

કોરોના વાઇરસ અંગે હજી દુનિયાના વૈજ્ઞાનિકો જુદા જુદા અંદાજ લગાવી રહ્યા છે, પ્રયોગો દ્વારા આ વાયરસ અંગેની સમજ કેળવાઈ રહી છે.  અત્યારે સોશ્યલ મીડિયામાં એક વાત એવી ફરી રહી છે કે તડકો આવશે અને ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી કે પછી અમુક લોકો કલાકોની ગણતરી દ્વારા કોરોનાને કેવી રીતે હરાવી શકાય એવી વાતો પણ મૂકી રહયા છે.  એ વાત સાચી કે વાયરસ અને ગરમીને ખાસ બનતું નથી, ઊંચા તાપમાન પર વાઇરસ નાશ જ પામે પણ આ વાઇરસ કેટલા તાપમાન પર ટકી શકે છે તે અંગે પણ ચોક્કસ જાણકારી મળી નથી.


મૂળે વાત કરું તો આ વાયરસ કોરોના ફેમિલીનો વાયરસ છે , આ પરિવારના 6 સભ્યોથી આપણે અત્યાર સુધી પરિચિત હતા અને આ 7માં સદસ્ય સાથે હમણાં ડિસેમ્બર 2019માં રૂબરૂ થયા. આના પરિવારના MERS અને SARS ને આપણે અનુક્રમે 2012 અને 2002માં મળી ચૂક્યા છીએ. સાર્સનો ચેપ 8000 જેટલા લોકોને લાગ્યો હતો અને 10 ટકા જેટલા મૃત્યુ પામ્યો હતો. નવેમ્બર 2002ની આસપાસ શરૂ થયેલો સાર્સ જૂન 2003 સુધી ચાલ્યો હતો.  આ નવો કોરોના વાયરસ અને જૂનો સાર્સ ઘણીખરી-લગભગ 70 થી 90 ટકા જેટલી જેનેટિક સમાનતા ધરાવે છે. MERS નો ચેપ 2012મ ફેલાવાનો શરૂ થયો ઇનો ફેલાવાનો દર  ધીમો છે- ડિસેમ્બર 2019 સુધી 2468 જેટલાં કેસ નોંધાયા છે. આ વાયરસમાં મૃત્યુ દર 34 ટકાની આસપાસ છે.  આની પહેલા આપણે બર્ડ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ એવું બધુ સાંભળેલું, આ બધા ઇન્ફ્લુએઝ વાયરસ કહેવાય અને આ વાયરસની ફેમિલી પર આપણે સારું એવું રિસર્ચ કરેલું છે,કોરોના ને આપણે હજી વ્યવસ્થિત રીતે સમજી રહયા છીએ.

એવું કહેવાય છે કે ગરમી આવશે તો   આ વાયરસ જતો રહેશે અને આપણે ચિંતા કરવાની જરૂર નથી –પણ જો આ વાયરસના પિતરાઇ ભાઈ એવા સાર્સની વાત કરીએ તો એણે ઉનાળામાં પણ પોતાનું કૌવત બતાવેલું છે  આ કોરોના વિષે કહીએ તો એ ઈટાલીમાં બી ફેલાયો છે જ્યાં અત્યારે તાપમાન 10-15 degree છે અને ઓસ્ટ્રેલિયામાં પણ ફેલાયો છે જ્યાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. ટોમ હેંક્સને ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ફિલ્મના શુર્ટિંગ વખતે જ આ ચેપ લાગ્યો હતો.  સામાન્ય રીતે આપણને શરદી –ઉધરસ કરતાં ફ્લૂના વાયરસ ઠંડીની સીઝનમાં વધુ જોવા મળે- ઠંડુ અને સૂકું વાતાવરણ વધુ અનુકૂળ આવે- પેલા RNAને વીંટાળયેલું પ્રોટીનનું પડ એવા વાતાવરણમાં તૂટે નહીં અને ફ્લૂના વાયરસને આરામથી ઘૂસ મારવા મળે. પણ ગરમી વધે એમ આ વાયરસ નબળો પડે – એટ્લે જ તો એને સિઝનલ ફ્લૂ પણ કહેવાય છે. એ ઋતુના ટાઈમ ટેબલને અનુસરે છે પણ આ કોરોના કોઈ ચોક્કસ ઋતુને અનુસરતો હોય એમ લાગતું નથી અને એટ્લે જ ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં પ્રસરી રહ્યો છે.  એટ્લે કદાચ શક્ય છે કે ગરમીના કારણે એ થોડો નબળો પડે પણ સાવ જતો રહેશે એવું માનવા માટે હજી આપણી પાસે પૂરતા પુરાવા નથી. બીજું પેલા ધાબા પર તડકામાં ઊભા રહેવાના મેસેજ ફરે છે -  ઈચ્છા હોય તો શોખથી ઊભું રહેવાય, ચામડી બળશે બીજું કઈ નઇ પણ એનાથી વાયરસ મરી જશે એ વાતમાં કોઈ દમ નથી. શરીરનું સરેરાશ તાપમાન જ 37 ડિગ્રીની આસપાસ હોય છે- અને આ તાપમાનને બહારના કોઈ પણ તાપમાન સાથે લેવા દેવા નથી – એટ્લે શરીરમાં ઘૂસી ગયેલા વાઇરસને બહાર સહારાનું રણ હોય કે એન્ટાર્કટીકા   એનાથી કોઈ મતલબ નથી રહેતો .ધાબા પર જઈ શકાય પણ વાયરસ મરી જશે એવી  માન્યતા સાથે નહીં.


બીજું , સપાટી પર આ વાઇરસ કેટલો સમય રહી શકે એ બાબતે પણ મત-મતાંતર છે પણ તેમ છતાં ફેબ્રુઆરી 2020માં જર્નલ ઓફ હોસ્પિટલ ઇન્ફેકશનમાં પ્રકાશિત એક રિવ્યુમાં સંશોધકોએ કોરોના વાયરસ પરિવારની કોઈ પણ સપાટી પર રહેવાની આદતોની ઉપલબ્ધ વૈજ્ઞાનિક માહિતી ભેગી કરીને  એક સંશોધન રજૂ કર્યું હતું ત્યાર પછી 17 માર્ચે ધ ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં આ નવા વાયરસ સંદર્ભે જ અભ્યાસ થયો છે. આ અભ્યાસ મુજબ આ વાઇરસ હવામાં 3 કલાક સુધી રહી શકે છે, તાંબાની સપાટી પર 4 કલાક, પુંઠા પર 24 કલાક સુધી , પ્લાસ્ટિક અને સ્ટીલ પર 72 કલાક સુધી રહી શકે છે. એના પિતરાઇ ભાઈ જેવા સાર્સ અને મર્સ જેવા વાઇરસ 9 દિવસ સુધી એ પ્લાસ્ટિક સ્ટીલ કે કાચની સપાટી પર ટકયા હોવાના દાખલાઓ પણ છે. (ફ્લૂના વાયરસ 48 કલાક સુધી રહી શકે ) હા સંશોધકો એમ બી નોંધે છે કે સપાટીનું તાપમાન 30 ડિગ્રીની આસપાસ હોય તો એને ફાંફા પડે છે. હવે આ સપાટીને કેટલું અને ક્યાં સુધી અડવાથી કેટલા વાયરસ કુદકા મારીને હાથે ચોંટે એ આપણને હજી ખબર નથી પણ આપણે આપણી આસપાસની જગ્યા ચોખી રાખી શકીએ જ. એટલે આપણી આસપાસ ઘરમાં ઑફિસમાં ડિસઇનફેક્ટન્ટથી સફાઈ રાખવી જરૂરી છે.
હું આશા રાખું છુ કે લેટેસ્ટ રિસર્ચના અભ્યાસ પરથી ઉપરની પોસ્ટ તૈયાર કરી છે –સપાટી અને તાપમાન અંગે આ જાણકારી પબ્લિક ડોમેઈનમાં છે - વૈજ્ઞાનિકો પણ તેને સમજવા કોશિશ કરી રહયા છે.  વોટ્સ એપ પર કોઈએ તુક્કા મારીને બનાવેલા ફાલતુ મેસેજ ને વિજ્ઞાન ના સમજો.  સંયમ અને સમજદારીથી કામ લો.   એક માણસની ભૂલ આખા સમાજે ભોગવવી પડે તેવું વર્તન ના કરો. 

Featured Post

कैप्सुला मुंडी

  इटली का अनोखा प्रोजेक्ट: 'कैप्सुला मुंडी' – मौत का नया हरा-भरा अंदाज़ क्या आप सोच सकते हैं कि मौत के बाद भी इंसान का हिस्सा प्रकृत...